બીજેપી નેતા સચદેવાએ કેજરીવાલની ઝાટકણી કાઢી: અરવિંદ કેજરીવાલને પડકાર ફેંકતા કહ્યું- જામીન પર છુટ્યા છે, સચિવાલયમાં જઈને બતાવે
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan11052024_111522_VS.webp)
- 11 May, 2024
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચાર માટે જામીન મળ્યા પછી શનિવારે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. તે પછીથી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે 50 હજારના બોન્ડ્સ પર છુટેલા અરવિંદ કેજરીવાલ દિલ્હી સચિવાલયમાં જઈને બતાવે. એક ફાઈલને સાઈન કરીને બતાવે. તમને વચગાળાના જામની મળ્યા છે.
વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે દિલ્હીની હોસ્પિટલમાં નકલી દવાઓ તમારા વિચારે આપી છે. લીકર કૌભાંડ અને ભષ્ટ્રાચાર તમે કર્યું છે. દિલ્હીની 7 સીટો પર કમળ ખિલશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે 4 ટોપ લીડર જેલમાં ગયા છે. આ ટોપ લીડર નથી પરંતુ ભષ્ટ્રાચારીઓ છે.
સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ 50 હજારના બોન્ડ્સ પર મુક્ત થયા છે. તેઓ એક પણ ફાઈલ સાઈન કરી શકે તેમ નથી. આ સિવાય તે સચિવાલયમાં પણ દાખલ થઈ શકે તેમ નથી. તેમની પાસેથી આ પ્રકારના નિવેદનોની જ અપેક્ષા રાખી શકાય. તેમણે દિલ્હીને લૂંટવાનું અને ઠગવાનું કામ કર્યું છે. તેના પગલે હાલ પેરોલ પર છુટેલા કેજરીવાલ એ વિચારે કે 1 જૂન પછી શું થવાનું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ